Featured

‘ઉંઘ’ આવે ત્યારે નહિ, પણ સમય થાય ત્યારે ઊંઘો !!

ઉંઘ નોહતી આવતી, તો રીલ જોતો હતો, અને કેટલા વાગી ગયા એની ખબર જ ના પડી !!

આવું ઘણા લોકોના મોઢે સાંભળવા મળતું હશે. તમારા ઘરના જ અમુક લોકોના મોઢે રોજ સાંભળતા હોવ એમ પણ બને ! આ રીલ ખરેખર એક દૂષણ જ છે, જેનો કોઇ અંત નથી. ઓકે, મારે તો આજે મુખ્ય વાત ઉંઘ ઉપર કરવી છે. ઉંઘ આપણાં શરીર માટે અત્યંત જરૂરી છે, એ આપણે બધા જ જાણીએ છીએ, છતાં એને કાયમ અવગણીએ છીએ. રોજની 7 થી 8 કલાકની ઉંઘ તો જરૂરી છે જ, પણ એનો સમય પણ ફિક્સ રાખવો એ પણ એટલું જ મહત્ત્વનું છે. એ આપણી શારીરિક પ્રક્રિયાને અસર કરે છે. તમારા શરીર ને શાંતિથી કામ કરવાનો સમય, જ્યારે તમે સૂઈ જાવ ત્યારે જ મળે છે, બાકી જાગતા હોય ત્યારે તો આપણે ક્યાં એકેય અંગને આરામ આપીએ છે ?

પણ, મારે તો એટલું જ કહેવું છે કે, સુવાનો સમય ભલે તમે ફિક્સ ના કરી શકતા હોવ, પણ સૂવાની 10 મિનિટ પહેલા મગજ, અને શરીર ને શાંત કરી દો. ફોન સાઈડમાં મૂકી દો. એટલે શરીર ને ખબર પડી જાય કે “સાહેબ / મેડમ હવે સૂઈ જશે અને આપણે કામ ચાલુ કરવાનું છે ! બાકી તમે આખો મીંચાય નહિ ત્યાં સુધી મોબાઈલ મંતરતા હોવ, તો શરીર ની સિસ્ટમ પણ તમારી સૂવાની રાહ જોતી જોતી સ્ટેન્ડબાય પર જતી રહે અને એ પણ વિચારે “તેલ લેવા ગયો મારો સાહેબ, થાય એટલું કરીશું 藍”. પછી ચાલુ બધી તકલીફો.

એટલે કહેવાનો મતલબ એટલો જ છે કે, ઉંઘ આવે ત્યારે મોબાઈલ નહિ મૂકવાનો, પણ મોબાઈલ મૂકીને ઊંઘવાનો પ્રયત્ન કરવાનો.

Enjoy Quality Sleep 

Featured

15, ઓગસ્ટ, 1947 – બે દેશના છૂટાછેડા

અર્ધી રાત્રે આઝાદી

આજે આપણે ભારતનો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યા છીએ. આપ સૌને આ દિવસની હાર્દિક શુભેચ્છાઓ. ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭, અંગ્રેજોએ આપણને આઝાદી આપી અથવાતો આપણે મેળવી એમ કહી શકાય. આ આઝાદી મેળવવામાં જેટલો હિસ્સો આપણા ક્રાંતિકારીઓનો હતો એટલો જ દ્વિતીય વિશ્વ યુદ્ધનો પણ હતો એમ કહી શકાય. દ્વિતીય યુદ્ધ દરમ્યાન બ્રિટન પાયમાલ થઇ ગયું હતું અને એટલેજ એને ભારતને પલાવવાનું પોષાય તેમ નોહ્તું. એટલે જ તેમણે ઉતાવળે ભારતને સ્વાધીનતા સોપવાનો નિર્ણય કર્યો અને મોઉંન્ટ બેટનને ભારત મોકલ્યા અને સત્વરે બધી પ્રક્રિયા પૂર્ણ કરવાનો આદેશ આપ્યો.

માઉન્ટ બેટને ૧૫મી ઓગસ્ટ ની તારીખ પસંદ કરી. જયારે આ તારીખ પસંદ કરાઈ હતી એ મહિનો હતો મેં, ૧૯૪૭. એટલે ફક્ત ૩ મહિનાનો સમય હતો, આઝાદી ની પ્રોસેસ પૂરી કરવા માટે. એમાય ભારતના ભાગલા પાડવાનો નિર્ણય પણ લેવાયો હતો, એટલે એની પણ પ્રક્રિયા કરવાની થતી ! દુનિયાના સૌથી ભયાનક “ છુટા-છેડા “ થાવા જઈ રહ્યા હતા. આ છુટા છેડા કઈ રીતે કરવા અને મિલકતો, સીલકો, દેવા વગેરે નું વિભાજન કઈ રીતે કરવું એ કામ એક હિંદુ અને એક મુસ્લિમ ને સોપવામાં આવ્યું. તેમના નામ હતા એચ.એમ.પટેલ અને મહમ્મદઅલી. તે બંનેને સરદાર પટેલ ના એક રૂમમાં પુરવામાં આવ્યા અને કોઈ ચોક્કસ નિર્ણય આવે ત્યારબાદ જ બહાર આવવા જણાવ્યું.

આ ભાગલામાં વહેચણી કરવા માટે દેશભરમાં મિલકતોની ગણતરી શરુ થઇ. અંતે એ બંને જણાએ નક્કી કર્યું કે દેશની જંગમ મિલકતના ૮૦ ટકા ભારતના ફાળે અને ૨૦ ટકા પાકિસ્તાનના ફાળે જાય. આખાય હિદમાં ઠેર ઠેર સરકારી ઓફિસોમાં ખુરશીઓ, ટેબલો, ઝાડું અને ટાઈપરાઇટરો ની ગણતરી શરુ થઇ. આમાની કેટલીક ગણતરીઓ તો ખરેખર લાજવાબ હતી. દાખલા તરીકે જગતના સૌથી વધુ દુષ્કાળ પીડિત દેશના ખેતી ખાતામાં ૪૨૫ ક્લાર્કો માટેના ટેબલ, ૮૫ મોટા ટેબલ, ૮૫ ઓફિસરો માટેની ખુરશીઓ, ૮૫૦ સાદી ખુરશીઓ, ૫૦ ટોપી ભરાવવા માટેની ખીંટીઓ, ૬ ચાટલા સાથેની ખીટીઓ, ૧૩૦ ઘોડા, ૪ લોખંડની તિજોરીઓ, ૨૦ ટેબલ લેમ્પ, ૧૭૦ ટાઇપરાઈટર, ૧૨૦ પંખા, ૧૨૦ ઘડિયાળો, ૧૧૦ સાઈકલો, ૬૦૦ ઇન્કસ્ટેન્ડ, ૩ સ્ટાફ કાર, ૨ સોફા અને ૪૦ કમોડ હતા.
આ બધાની વહેચણી માં દલીલો અને લડાઈઓ પણ ઉભી થઇ. કોઈ અધિકારી પોતાનું ગમતું ટાઈપરાઈટર સંતાડી દેતો, અથવા કોઈ અમુક ઇન્કસ્ટેન્ડમાં બદલામાં ગમતા કમોડ લઇ લેતા. આ બટવારામાં કેટલીક સંકુચિતતા તો ખરેખર થડકી જવાય તેવી હતી. લાહોરમાં પોલીસ ઓફિસર પેટ્રિક રીચે પોતાના હાથ નીચીના એક હિંદુ અને એક મુસ્લીમ ડેપ્યુટીવચ્ચે પોતાની ઓફિસની ચીજોના ભાગ પડ્યા. બધીજ ચીજોના તેણે ભાગ પાડ્યા : કપડા, પાઘડીઓ, રાઈફલો, લાકડીઓ … અને છેલ્લે પોલીસ બેન્ડના વાજિંત્રોના પણ ભાગ પાડ્યા. પાકિસ્તાનને એક ફ્લુટ આપી તો ભારતને એક ડ્રમ. એક બ્યુગલ પાકિસ્તાનને, તો કાંસીજોડા ભારતને. છેવટે એવું બન્યું કે મોટા ભૂંગળ જેવું એક ટ્રોમ્બોન બાકી રહ્યું. અને બંને ડેપ્યુટીઓ જે વર્ષોથી સાથે કામ કરતા હતા તે એક ભૂંગળ ક્યા દેશને જાય તેના માટે બાથંબાથી એ આવી ગયા. પુસ્તકાલયો ના પુસ્તકો બાબતે પણ વહેચણી શરુ થઇ. કોને કયા પુસ્તકોની વધુ જરૂર છે, એ પ્રમાણે તેની વહેચણી થઇ. અરે શબ્દકોશ ને ફાડીને તેના ભાગ પાડ્યા ! નાણા છાપવાનું કારખાનું ફક્ત એક જ જગ્યાએ હતું, તેથી ચલણી નોટો પર પકીસ્તાનનો સિક્કો મારીને ચલાવવાનો નિર્ણય લેવાયો. અરે અમુક કીમતી વહેચણી તો સિક્કો ઉછાળીને કરવામાં આવી !

પ્રજાના ભાગલા વિષે તો આપણે ઘણું વાચ્યું છે, પણ મિલકતના અને લશ્કરી દળો, સરકારી ઓફિસરોના પણ ભાગલા આ દરમ્યાન પડ્યા હતા. આપણે અત્યારે જેનો ઉત્સવ મનાવીએ છીએ, એ ત્યારે દુખદ દિવસ હતો. આજે ૭૬ વર્ષે ભારત ક્યાં છે અને પાકિસ્તાન ક્યાં છે, એ આખું વિશ્વ જાણે જ છે. પણ એ કઈ ૧૦ વર્ષની મહેનત નથી, વર્ષોની મહેનત છે. આનો ફાળો અત્યાર સુધીના દરેક દીર્ઘદ્રષ્ટા ને આપવો રહ્યો.


આપ સૌને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ.

Featured

જિંદગીમાં ભાડુઆતી મજા !!

આ દુનિયામાં આપણે તો એક ભાડુઆતી છીએ !!

આ તો મેં ઘણીવાર સાંભળ્યું હતું અને કહેવાય છે કે આપણે એક દિવસ આ દુનિયા છોડીને જતું જ રહેવાનું છે. હા… ફિલોસોફી નથી ફેકતો પણ આજે એક લેખ મિન્ટમાં વાંચ્યો એટલે આ વાત હવે બધી જગ્યાએ સાચી પડતી જણાવા લાગી. આપણે જે આપણું માનીએ છીએ એ તો બધી મોહમાયા છે . આવું આપણા વડવાઓ અને સાધુ સંતો કહે છે ને ? અને હવે અત્યારના ટેકનોલોજીના જમાનામાં આ સાચું જ પડવાનું છે.

ઓકે, ગુગલે હમણાં ડીકલેર કર્યું કે એ ગુગલના 2 વર્ષથી એક્ટિવ નથી એવા એકાઉન્ટ કાયમ માટે બંધ કરવા જઈ રહ્યું છે. આ વાત કઇ મોટી નથી, કે જ્યાં સુધી એ ખાલી ગૂગલ એકાઉન્ટની હોય અને એવા લોકોના હોય, જેમણે ખાલી કોઇ જગ્યાએ લોગઈન કરવાના હેતુથી જ બનાવ્યા હોય ! અને ગુગલે પણ અત્યારે સાંત્વના તો આપી જ છે કે યુટ્યુબ ને હમણાં આ લાગુ નહીં પડે. તેના પર જુના ઇનએક્ટિવ એકાઉન્ટ્સ બંધ નહીં થાય.

પણ, દર થોડાક વર્ષોએ આવું કૈક થતું રહે અને જૂના એકાઉન્ટ ની સાથે જુના કન્ટેન્ટ પણ ભૂંસાતા રહે, તો કેવું લાગે ? ધારોકે કોઈ જૂનો વીડિયો, કે જે યુટ્યુબ પર છે અને એક દિવસ ઉઠીને તમે જોવો છો, અને એ વીડિયો ડીલીટ થઈ ગયો છે ! પછી એ ભલે મેકર્સે કર્યો હોય કે પ્લેફોર્મે, પણ તમારો વીડિયો તો ગયો !! આ ભાડૂતી સમયમાં તમે ઘણુંબધું ગુમાવી શકો છો !

ઓકે, આટલું વાંચ્યા પછી, વિચારો કે અત્યારના 5જી ના જમાનામાં આપણે કેટલી ભાડૂતી વસ્તુઓ વાપરીએ છીએ ? કેટલી વસ્તુઓ ઉપર આપણો હક છે ?

ગાડી, ઘર, ફિલ્મો, સંગીત, સાયકલ વગેરે અને આ સિવાય પણ ઘણુંબધું આપણે ભાડે જ વાપરીએ છીએ. આમાંથી એકેય ( ઘર સિવાય ) આજથી 20-25 વર્ષ પહેલાં સુધી આપણે ભાડે નોહતા લાવતા. ત્યારે એ બધું આપણું માલિકીનું હતું. અત્યારે ઓનલાઈનના જમાનામાં બધું જ ભાડે વાપરતા થઈ ગયા છીએ.

પણ, આ કેટલું સુરક્ષિત છે ? એટલે નુકશાન તો નથી જ થતું, પણ જો તમને કોઈ વસ્તુ કે સેવા ગમવા માંડે અને તે તમારો સર્વિસ પ્રોવાઇડર બંધ કરી દે અથવા ભાવ વધારી દે તો ? થાય છે આવું. હું ગાના વાપરતો હતો. પહેલા મફતમાં હતું. પછી મહિને 15 રૂપિયા માંગ્યા, મેં ભર્યા. થોડા સમય પછી એના જ એ 50 માંગવા લાગ્યા, એટલે મેં એ બંધ કર્યું. ફિલ્મોની વાત કરીએ તો અત્યારે ઓટીટી ના જમાના મા મહિને 200 થી 500 રૂપિયાના ભાડામાં અઢળક ફિલ્મો જોવા મળે છે. એક રીતે જોઈએ તો એ સારું છે. પણ તમને ગમતી દરેક ફિલ્મ ફક્ત કોઈ એક જ ઓટીટી પર જ આવે એ શક્ય નથી, એટલે તમારે બીજી પણ ઘણી ઓટીટી સર્વિસ લેવી પડે, અને છેલ્લે ગણતરી કરતા તમારું માસિક બિલ 1000 ઉપર થઈ જાય !

આ બધું આપ્યા પછી પણ શું આપણે એ ફિલ્મ કે સિરિઝના મલિક ખરા ? ના. એ પ્લેટફોર્મ ગમેત્યારે એ ફિલ્મને એમના પ્લેટફોર્મ પરથી હટાવી દેશે. આપણે શું કરી શકવાના ? અને એથી આગળ અત્યારે એમેઝોન, ઝી વાળા ફિલ્મો રેન્ટ ઉપર આપે છે. બોલો આપણે સબસ્ક્રિપ્શન લીધું છે, છતાંય એ ફિલ્મ જોવા માટે અલગથી પૈસા ભરવાના !

મ્યુઝિકની બાબતમાં પણ આવું જ છે. પ્રાઈમ, સ્પોટીફાય, જીઓસાવન જેવી ઘણી એપ છે. પણ ઘણીવખત તમને ગમતો પોડકસ્ટ કે ગીત એના પરથી હટાવી દેવામાં આવે તો ? 

આ બાબતમાં અનુરાગ કશ્યપે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘ હું હજી મને ગમતી દરેક ફિલ્મની ડીવીડી વસાવુ છું. આવતા પાંચેક વર્ષમાં આપ જોજો, આ ઓટીટી વાળા તમારી પાસેથી જેટલીવાર ફિલ્મ જોશો એટલી વાર પૈસા માંગશે ! ‘ એમેઝોન પ્રાઈમ અને ઝી ને જોઈને આ વાત અમુક અંશે સાચી થતી નથી જણાતી ? પહેલા આપણને ટેવ પાડે, પછી એના ભાવ વધારે, એટલે આપણે ફસાયા.

યાદ કરો એ જમાનો, જ્યારે આપણે પોતે આપણી વસ્તુઓના મલિક હતા. આપણી ફિલ્મોનું કલેક્શન આપણું પોતાનું હતું. મિત્રો સાથે અદલાબદલી થતી. એ જ કલેક્શન પર ચાર મિત્રો સામે ગર્વ લેવાતો.

તો, આ ભાડૂતી જિંદગીમાં તમે કોના મલિક છો, અથવા તમારી માલિકીનું શુ ? જે તમારું હોય એની કદર કરજો, બાકી તો બધું મોહ માયા છે.

Happy World Music Day.

© Sushant Dhamecha

Featured

તમે નવરા છો ?

તમે અત્યારે નવરા છો ? એવો સવાલ કરશો, તો દરેક લોકો ના જ પાડશે અને કંઈક ને કંઈક કામમાં હોવાનો દંભ કરશે. ઘણા લોકો કામમાં હશે ઓ
પણ ખરા !! પણ જે ખરેખર કામમાં હશેને, એ તમને એમ નહીં કહે, કે હું નવરો નથી. એ એટલું જ કહેશે કે ‘બોલોને… શુ કામ છે ?’

આપણે ત્યાં અત્યારે એવું માને છે કે તમે નવરા છો એટલે તમારી પાસે કામ નથી. અરે ભાઈ કામમાંથી નવરાશ કાઢવી પડે. આપણા માટે, કોઈના માટે. વ્યસ્ત માણસ પોતાના સિડ્યુલમાંથી પાંચ મિનિટની નવરાશ કાઢશે પણ ખરેખર નવરો માણસ એમ નહીં કહે કે હું નવરો છું.

મેં આવા ઘણા લોકો જોયા છે, જે આખો દિવસ કંઈકને કંઈક બહાને નવરા ના હોવાનો જ ડોળ કરતા હોય છે. મને તો નવરાશ માણવી ગમે અને કોઈને હું નવરો છું કહેવામાં પણ મને કોઈ વાંધો નથી અને હોવો પણ ના જ જોઈએ !!

અત્યારે બજારમાં એક ભાઈને વાત કરતાં જોયા, એ ભાઈને જોયા અને વિચાર્યું તો લાગ્યું કે આ ભાઈ નવરા છે, પણ ‘આઘુ નાડું, પાછું નાડું’ કરીને એવું દર્શાવે છે કે પોતે નવરા નથી.

બક્ષી સાહેબ કહેતા હતા કે ભગવાન પણ ખરો છે, દરેકને 24 જ કલાક આપ્યા છે. નાનો બાળક હોય, વૃદ્ધ હોય, ગરીબ હોય કે આમિર હોય, દરેકને 24 જ કલાક. ના કોઈને ઓછો, ના કોઈને વધારે.

બસ તો , આ 24 કલકમાંથી નવરાશ કાઢો, માણો, જીવો અને જીવવા દો 

Featured

2023 – શાંતિથી જીવીશું !!

આપણે વર્ષ 2023 માં એન્ટ્રી મારી દીધી છે. 22 માંથી 23 માં કૂદકો માર્યો. બાકી નવું તો કઈ થવાનું નથી. અને થશે તો આપણે જ કરવુ પડશે ને ?

છેલ્લા 2 વર્ષમાં કોરોનાએ આપણને શાંતિથી જીવતા શીખવાડ્યું છે. કોઈ શીખ્યું ના હોય તો એ એના ભોગ ! પણ કોરોનાએ એટલું તો શીખવાડ્યું કે તમારી જિંદગી છે, તમે કમાવ છો, જીવો અને માણો. ગયા વર્ષે આવેલી એક ફિલ્મ મોનીકા ઓ માય ડાર્લિંગ નું એક ગીત છે, ये… एक ज़िन्दगी काफी नही है.. જો આપણે હાડમારીમાં જ જીવીશું તો એક શુ 100 જીન્દગીય કામની નથી. એ ઝીંદગી જીવ્યાંનું ટ્રેડમિલ પાર દોડ્યા જેવું જ છે, 10 કી. મી. ચાલ્યા પણ ક્યાંય પહોંચ્યા નહીં.

આજે કાકા સાહેબ કાલેલકર ની બુક હિમાલય નો પ્રવાસ વાંચતો હતો. એની શરૂઆત જ એટલી સરસ રીતે થઈ કે આ ઉપર આટલું લખવાનો વિચાર આવ્યો. હવેના શબ્દો એમના પોતાના છે…

માણસ સ્વભાવે સ્થાવર કે જંગમ ?

સહેજ વિચાર કરતા દેખાય છે કે, એનામાં એ બંને વૃત્તિઓ પડેલી છે. જો જંગલી દશામાંથી સુધરી આજની દશા માણસને પ્રાપ્ત થઈ હોય, તો માણસ મૂળે જંગમ જ હોવો જોઈએ. અન્ન અને પાણી જ્યાં મળે ત્યાં જવું એ પ્રાણીમાત્રની વૃત્તિ છે. જ્યાં સુધી માણસ શિકારી નું જીવન ગાળતો, ત્યાં સુધી એને રખડવું જ પડતું. મહાભારતમાં પણ વર્ણનો આવે છે કે, એક જંગલમાંથી શિકાર ખલાસ થયો એટલે પાંડવો જેવા અરણ્યકો ને બીજું જંગલ શોધવું પડતું. શિકારી જીવન છોડી જ્યારે માણસે ભરવાડ અને રબારી જીવન પસંદ કર્યું ત્યારે પણ એક જંગલ કે ઘાસ ખૂટયું એટલે પોતાના ટોળા લઈને એને બીજે જવું પડતું. શ્રીકૃષ્ણના ગોવાળિયા પૂર્વજો એમજ કરતા. આગળ જતા માણસને વિચાર થયો કે જ્યાં ખોરાક મળે છે ત્યાં જઈને રહેવા કરતા, જ્યાં રહીએ છે ત્યાં જ ખોરાક ઉગાડી શકાય તો કેવું સારું. માણસે જંગલોમાં અને બીડોમાં રહેવાનું છોડી દઈ ખેતરો ખેડવાનું શરૂ કર્યું. અને એ આર્ય થયો. ખેતી શરૂ થઈ અને માણસના જીવનમાં ભરેમાં ભારે ફેરફાર થઇ ગયો. સંસ્કૃતિ વધી અને સ્થાવરતા આવી. સ્થારવતા સાથે માણસની કાર્યશક્તિ વધી.

તો, વર્ષ 2023 ને ટાઇમલેપ્સ માં ના જીવતા સ્લોમોશનમાં અથવાતો નોર્મલ મોડમાં જ જીવજો.

Happy New Year To All Readers

Featured

How About Movie ? | Kaunsi Dekhoge ?

Hello Friends,

Here I am starting a new series about the movie suggestion. Generally, I upload here my travel videos, but as I am a movie lover too, I watch some good content too. So, it was a thought in my mind since last few months to make some videos, through which I can suggest or recommend some good movies to you. So, finally, Here I am. In this video I am just introducing myself. Keep visiting my channel, I will upload 1st video very soon.

Featured

A Day Trip To Zund Hanuman

ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલા જાંબુઘોડા વિસ્તારમાં જંડ હનુમાન મંદિર આવેલું છે. કહેવાય છે કે આ મહાભારતના સમયનું છે. ત્યાં અર્જુને કૂવામાં બાણ મારીને પાણી કાઢ્યું હતું એ હજી છે. એ ઉપરાંત ભીમની ઘંટી પણ ત્યાં સુરક્ષિત રાખેલી છે.

હું, થોડાક વર્ષો પહેલા મારા મિત્રો સાથે ત્યાં ગયો હતો, પણ ફરી જવાની ઈચ્છા હતી. અંતે એક રવિવારે એ સમય આવી ગયો. અમે સવારે વહેલા જ ઘરેથી નીકળવાનું વિચાર્યું, જેથી ત્યાં જલ્દી પહોચી શકાય. અત્યારે ઉનાળો ચાલુ થઈ ગયો છે, એટ્લે સ્વાભાવિક છે કે જેમ દિવસ ઊગતો જાય તેમ ગરમી વધે જ.

તો, અહિયાં એ ટ્રીપ ના વિડીયો ની લિન્ક આપું છુ. જોજો, અને ગમે તો લાઈક કરજો. તમારા મિત્ર વર્તુળમાં શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઈબ કરજો.

Featured

દિવસની શરૂઆત ‘સવાર થી’

અત્યારની ફાસ્ટ લાઈફમાં આપણે સવારે ઉઠીને ફટાફટ તૈયાર થઈને કામ ધંધે દોડી ( એટલે, કાર કે બાઇક લઈને ☺️) જઈએ. એક ટાઈમ ફ્રેમમાં જ આપણે ચાલતા હોઈએ છે. પણ સવારે એકાદ કલાક તમારી જાત માટે ફાળવો. મજા આવશે.

તને તમારા રૂટિનમાં આવતા પહેલા, શરીરને રિલેક્સ થવા દો, તો શરીર આખો દિવસ તમને રિલેક્સ રાખશે. હા, તમે વિચારો કે તમને શું ગમે છે ? જે ઈચ્છા હોય એ સવારમાં ઉઠીને ફ્રેશ થઈને એને એન્જોય કરો. આખા દિવસનું રિચાર્જ થઈ જશે. આને તમે Me Time પણ કહી શકો !! મને વાંચવાનું ગમે છે, તો હું વાંચું છું. જો તમને રિલો જોવાની ગમતી હોય, તો ઉઠીને થોડી વાર એ જોઈ લો.

અને હા, આ બધામાં ઉગતા સૂરજને જોજો. એના કિરણોની રોનક સવારમાં કૈક અલગ જ હોય છે. ઘણા લોકો કહે છે ને કે, સુરજ તો 10 વાગે પણ એવો જ દેખાય છે અમે જોઈ લઈશું. પણ એના કિરણો બદલાઈ ગયા હોય છે.

બસ, તો કરો ટ્રાય. સવારે અડધો-એક કલાક તમારી જાત માટે ફાળવો. મજા આવશે.

Featured

આનંદ કરવો ગુનો છે ?

શું જિંદગીમાં આનંદ કરવો અને જિંદગીને માણવી એ ગુનો છે ? ના, નીતિથી, કોઈને દખલ ના થાય ત્યાં સુધી કરેલો આનંદ એ ભવ્ય આનંદ જ છે. અને જિંદગી આનંદ કરવા માટે જ છે !

પણ, આપણી સંસ્કૃતિ આનંદને અજુગતિ પ્રવૃતિ ગણે છે ! નિર્દોષ આનંદ, નાના વ્યસનો ( ચા, કોફીના ) અને થોડી આળસ એ કઈ ગુનો નથી. જિંદગી આખી આનંદ કરવા માટે જ છે. જિંદગી ખાલી નિયમ પ્રમાણે જ ચાલે એ જરૂરી નથી. કોઈ વાર નિયમ તોડીને તમને આનંદ આવતો હોય, તો એ કરી લેવાય. હા શરત એટલી જ કે કોઈને નુકશાન જા થવું જોઈએ.

મે મારા અગાઉના લેખોમાં પણ કીધું છે કે જિંદગીને માણો. નોકરી કરતાં હોવ તો એને માણો, ધંધો કરતા હોવ તો એને માણો. કંટાળો આવે તો બ્રેક લો, ફરો. જે તમારા મગજને પ્રફુલ્લિત કરે એ કરો. નોકરીમાં રજા લઈને ફરી આવો. એકલા ગમે તો એકલા જાવ. કોઈ વાર એવું કર્યું છે? કરી જોજો. તમારી જાતને ઓળખવા મળશે.

કોઈવાર કામ વગર પણ રજા લઈને ફરો…. મજા કરો.

આનંદ કરવો…. પણ લિમિટ માં ….

Featured

આકાશ બધે આસમાની છે

“ આકશ બધે આસમાની છે “ આ વાત તો એક નાનો બાળક પણ માની જ લે ને ! હા, કોઈ વાર વાદળ આવે ત્યારે કાળું ભમ્મર થાય એ અલગ છે. આ લેખનું મથાળું અત્યારે મેં વાચવા લીધેલા પુસ્તક “ શિયાળાની સવાર નો તડકો “ નું પહેલું પ્રકરણ છે. આ પુસ્તક શ્રી વાડીલાલ ડગલી નું છે. આ પુસ્તક મેં વાપીના લેખક અંકિત દેસાઈ ની ફેસબુક પોસ્ટમાં જોયું હતું. એમણે એવું લખ્યું હતું કે, બહાર જાઉં ત્યારે આ પુસ્તક હું સાથે રાખી શકું અને કોઈ એક ખૂણામાં બેસીને એને ફરી ફરીને વાચી શકું. આ વાક્યએ મને આ પુસ્તક વાચવા પ્રેર્યો. એટલે મેં મંગાવ્યું.

હવે એનો પહેલો લેખ “ આકાશ બધે આસમાની છે “ વાંચવાનો ચાલુ કર્યો અને એ લેખ સાથે સાથે હું એ પુસ્તકનાં પ્રેમમાં તણાતો ગયો અને એ વાચ્યા પછી તરત જ અહિયાં એના વિષે થોડુક લખવાની ઈચ્છા થઇ ગઈ.

લેખની શરૂઆતમાં  લેખક એમના માસીજીના દીકરાને વિદેશ જતા વળાવવા જાય છે ત્યારે દીકરાને વળાવતી વખતે માસી રડે છે અને તે જ વખતે માસી લેખકને પૂછે છે કે શું અમેરિકામાં પણ કોઈ માં પોતાના દીકરાને આવી રીતે વળાવતી વખતે રડી પડે છે ? ત્યારે લેખક કહે છે કે ‘ અરે રડે ? ભાંગી પડે છે’ આ સાંભળીને માસીને ધરપત થઇ કે હું એકલી નથી જે આવી રીતે રડે છે. એટલે કહેવાનો મતલબ કે લાગણી બધે જ હોય છે, કોઈ અલગ રીતે દર્શાવે તો બીજા કોઈ બીજી રીતે દર્શાવે.

આપણો પહેરવેશ જુદો હોય, રહેણીકરણી જુદી હોય, રંગ જુદો હોય પણ એનાથી કઈ કોઈનું હૃદય બદલાતું નથી. અહિયાં એક પંક્તિ લખી છે ,

ઘાટ ઘડિયા પછી નામરૂપ જુજવા,

અંતે તો હેમનું હેમ હોય.

હવેનો એક ફકરો એમના જ શબ્દોમાં.

દુનિયાના બધાજ લોકો દુખ ટાળવાના પ્રયત્નો કરે છે. બધાને પ્રેમ કરવો ગમે છે. બધાને હસવું ગમે છે. બધાને દુખ વખતે રડવાનું મન થઇ જાય છે. બધાને સુખ જોઇએ છે. પ્રેમ, ધિક્કાર જન્મ અને મૃત્યુ – બધાને વત્તી ઓછી તીવ્રતામાં હલાવી મુકે છે. હલે છે તો બધા, ભલે ભાષા જુદી બોલતા હોય, ભલે કપડા જુદા પહેરતા હોય, ભલે વધુ સુખી હોય કે આપણાથી હજારો માઈલ દુર હોય, માણસના હૃદયના મૂળભૂત ભાવ એકસરખા હોય છે. બહારની કાચલી જુદા જુદા ઘાટની અને જુદા જુદા રંગની દેખાય છે, પણ અંદરનું ટોપરું તો એક જ હોય છે.

છેલ્લે એક વાત બીજી એમના જ શબ્દો માં, કે એ જયારે અમેરિકા હતા ત્યારે એમને ન્યુયોર્ક જવાનું થયું. એ જ્યાં રહેતા હતા એની સરખામણીએ ન્યુયોર્ક મોંઘુ શહેર હતું. તો એમના મકાનમાલિકના પત્નીએ તેમને કોથળીમાં સેન્ડવીચો બાંધી આપી, અને કહ્યું કે ન્યુયોર્ક ખર્ચાળ શહેર છે, તો આ સેન્ડવીચ જોડે કોફી લઈને ખાઈ લેજો. આમજ તેઓ જયારે ભારત હતા ત્યારે જોરાવરનગરથી મુંબઈ જતા ત્યારે એમના બા સાથે થેપલા અને મરચાનો ડબ્બો ભરી આપતા અને કહેતા કે મુંબઈ ખર્ચાળ શહેર છે, તો ચા જોડે થેપલા ખાઈ લેજે. જોયું, શહેર અને દેશ બદલાયો, ખાવાની વસ્તુ બદલાઈ પણ લાગણી તો એક જ છે.

એટલે જ.... આકાશ બધે આસમાની જ છે એમ માણસો પણ બધે સરખા જ હોય છે.