આભે બંધાય વાદળના માંડવા,
સૂરજને પણ ક્યાં દે છે એ નીકળવા !
એ તો મસ્ત બની વરસે છે ધરતી પર,
શુ એ વરસે છે ખાલી ધરતીને ભીંજવવા ?
ના રે ના.. એ તો આવે છે આપણને ભીંજવવા,
પણ માણસ નથી દેતો પોતાને ભીંજવવા.
એ મજબુર છે એની બચવાની ટેવથી,
ઉનાળામાં ગરમીથી, શિયાળામાં ઠંડીથી બચ્યા,
મારે છે વલખા ચોમાસામાં પણ બચવા વરસાદથી,
પણ મેહુલો કાઈ થોડો કોઈના રોકે રોકાય …
એ તો બસ મન મુકીને વરસે જ જાય.
હોય એવા ઘણા અભાગીયા જે છત્રી શોધવા જાય,
વરસાદ વરસે ત્યારે છત્રી-રેઇનકોટ ભાડમા જાય,
જો એ પહેરુ, તો મારી વરસાદમાં ન્હાવાની મજા જાય.
મજા તો ત્યારે આવે, જ્યારે મારી સાથે મારી સંગીની પણ ભીંજાય.
~ સુશાંત ધામેચા
Good one….
Thanx Dear…